માલપુરમાં બે બંધ મકાનમાંથી રોકડ અને દાગીના સહિત 2 લાખની મત્તાની ચોરી

અરવલ્લી
અરવલ્લી

માલપુરમાં આવેલ બગીચા વિસ્તારમાં બે પરિવાર મકાન બંધ કરી બહાર ગામ જતાં રાત્રિ દરમિયાન ચોરો ત્રાટકતાં સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ચોરો ફરાર થઇ જતાં માલપુર પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
માલપુરમાં આવેલા બગીચા વિસ્તારમાં રણછોડભાઈ પટેલ અને મગનભાઈ પટેલનો પરિવાર બહાર ગામ ગયો હતો. તે સમયે રાત્રિ દરમિયાન તસ્કરોએ જાણે અગાઉથી રેકી કરી હોય એમ બંને મકાનોને નિશાન બનાવી બંને બંધ મકાનોના તાળાં તોડી ઘરનો તમામ માલસામાન રફેદફે કરી તિજોરી તોડી એક મકાનમાં 68 હજારના સોના-ચાંદીના દાગીના, જ્યારે બીજા મકાનમાંથી 55 હજાર રોકડા તેમજ સોનાના બે દોરા મળી કુલ અંદાજીત 2 લાખનો મુદ્દામાલ ચોરી કરી ચોરો પલાયન થઇ ગયા હતા.ત્યારે માલપુર પોલીસ માટે પણ આવી તસ્કરીની ઘટનાઓ પડકાર સાબિત થઈ છે. તસ્કરોને ઝડપથી પકડવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી ઉઠાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ચોરીની આ ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.