રાધનપુરના મધાપુર ગામના તળાવમાંથી ભેંસોને બહાર કાઢવા જતા આધેડ ડૂબ્યો ભારે જહેમત બાદ લાશ મળી આવી

પાટણ
પાટણ

રાધનપુરના મધાપુરા ગામે તળાવમાંથી ભેંસો બહાર કાઢવા જતા એક આધેડ ડૂબી ગયો હતો. જાણ થતા જ ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. જે બાદ સ્થાનિક તરવૈયાઓ શોધખોળ હાથ ધરી હતી જોકે, કોઈ ભાળ મળી ન હતી,આજે સવારે આધેડની લાશ મળી આવી હતી, જેનું પીએમ કરી પરિવારને લાશ સોંપવામાં આવી છે. પાટણ જિલ્લાના રાધનપુરના મધાપુર ગામના એક તળાવમાં પોતાની ભેંસો ચરાવવા ગયા હતા, તે દરમિયાન ભેંસો નજીક તળાવમાં ગઈ હતી, તેને બહાર કાઢવા જતા તે પણ તળાવમાં ડૂબ્યા હતા. આ ઘટનાની ગ્રામજનોને જાણ થતાં સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આધેડનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ઘટનાને પગલે ધારાસભ્ય અને રાધનપુર મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચયા હતા. ધારાસભ્ય દ્વારા શખ્સને શોધવા માટે NDRFની ટીમ મોકલવાની માંગ કરવામાં આવી હતી. જે બાદ આજે સવારે આધેડની લાશ મળી આવી હતી. જેનું પી એમ કરાવી લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.