યાત્રાધામ અંબાજીમાં મેન્ટેનન્સ કામગીરીને લઈને 2થી 5 ઓગસ્ટ રોપ વે બંધ રહેશે

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજીથી 3 કિલોમીટરના અંતરે આવેલા ગબ્બર ગોખના દર્શન કરવા માટે ગબ્બર પર્વત પર રોપ વેની સુવિધા નો લાભ દર્શનાર્થીઓ લેતા હોય છે. વર્ષ ભર મોટી સંખ્યામાં માઇભક્તો ગબ્બર પર્વત પર આવેલા માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપ વેનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે રોપ વેનો ધસારો પણ મોટી સંખ્યામાં થાય છે. જેથી વર્ષમાં રોપ વેના મેન્ટેનન્સ અને રખ રખાવની કામગીરીને ધ્યાન રાખી રોપ વે સુવિધા ટૂંક સમય માટે બંધ કરવામાં આવતી હોય છે. આવનાર તારીખ 2/8/2023 થી લઈ 5/8/2023 સુધી અંબાજી ગબ્બર સ્થિત રોપ વેની મેન્ટેનન્સની કામગીરીને લઈ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી 4 દિવસ માટે રોપવે ની સુવિધા બંધ રાખવામાં આવશે. આ દરમ્યાન દર્શનાર્થીઓ પગથિયા ચઢીને ગબ્બર ગોખના દર્શન કરી શકે છે. મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 06/08/23 થી રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે માં જગતજનની અંબાના દર્શનાર્થે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. અંબાજીમાં માતાજીના નિજ મંદિરના દર્શન કર્યા બાદ યાત્રાળુઓ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપવેની સુવિધાનો લાભ લેતા હોય છે. અને અમુક દર્શનાર્થી 1000 પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા માટે ગબ્બર પર્વત પર જતા હોય છે. મોટા ભાગે દર્શનાર્થી ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે રોપ વેનો સહારો લેતા હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.