ડીસાના વાહરા ગામે 6 વર્ષ બાદ નદીમાં પાણી આવતા નીરના વધામણાં કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના વાહરા ગામે 6 વર્ષ બાદ બનાસ નદીમાં પાણી આવતા ધારાસભ્ય સહિત ગ્રામજનોએ નીરના વધામણા કર્યા હતા. નદીમાં પાણી આવતા જ ઉંડા જઇ રહેલા પાણીના તળ સચવાઈ રહેતા ખેડૂતોને ફાયદો થશે.

રાજ્યભરમાં સારા વરસાદથી મોટાભાગના જળાશયો છલકાઈ ગયા હતા ત્યારે રાજસ્થાનના માઉન્ટ આબુ સહિત ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ પણ 85 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ચોમાસું પૂર્ણ થવાને હજુ બે માસનો સમય બાકી હોવાથી તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો અને ડેમમાંથી પાણી છોડાયા બાદ ડીસા તાલુકાના વાહરા ગામે પાણી પહોંચતા ભુર્ગભ જળની સતત ચિંતા કરતા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત, ભાજપના કાર્યકર્તા આગેવાનો, ખેડૂતોએ બનાસ નદીમાં નવા નીરના વધામણા કર્યા હતા.

વર્ષ 2017માં બનાસ નદી બે કાંઠે વહી હતી ત્યારબાદ છ વર્ષ પછી આ વર્ષે ફરી સારા વરસાદના કારણે બનાસ નદીમાં પાણી છોડતા વાહરા ગામે પાણી પહોંચ્યું હતું .જેથી દિવસે ને દિવસે ઊંડા જઈ રહેલા પાણીના તળ સચવાઈ રહેશે અને ખેડૂતોને તેનો મોટો ફાયદો થાય તે માટે ધારાસભ્ય સહિત ખેડૂતોએ લોકમાતા એવી બનાસ નદી બારેમાસ વહેતી રહે તેવી પ્રાર્થના કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.