પાટણ યુનિવર્સિટીમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના એન. એસ. એસ. વિભાગ દ્વારા આયોજીત ” આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે યોજાઇ હતી. જેમા વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. કોલેજ કક્ષાએથી નંબર આવેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે યુનિવર્સિટીમાંથી ડો. રમેશભાઈ અગ્રવાલ, ડો. સ્મિતાબેન વ્યાસ અને ડો. નિશાબેન પટેલ દ્વારા નિભાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાર્થીઓએ વકૃત્વ સ્પર્ધા માટે એ આઈ ભવિષ્ય માટે વરદાન કે અભિશાપ ઉદ્યોગ સાહસિકતામાં વિકસતા ભારતમાં,ભાર વગરનું ભણતર અને સ્ત્રી શિક્ષણ તેમજ કલાયમેટ ચેન્જ સહિતના વિષય પર ચર્ચા કરી હતી . આ નિબંધ સ્પર્ધામાં સાંપ્રત સમયમાં મૂલ્યલક્ષિ શિક્ષણની જરરિયાત, સમાજ નિર્માણથી રાષ્ટ્રીય નિર્માણ તેમજ ચિત્ર સ્પર્ધામાં એક ભારત શ્રેષ્ઠ ભારત , પર્યાવરણ અંગે જાગૃતિ, સ્વચ્છતાનું મહત્વ, ભારતમાં વિવિધતમાં એકતા વિષયોને ચિત્ર દ્વારા પ્રદર્શિત કર્યા હતા. આ કાર્યક્રમનુ સંચાલન એન એસ એસ કો ઓર્ડીનેટર ડૉ. જય ત્રિવેદીએ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.