હિંમતનગરના રૂપાલ ગામે વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મુક્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકાના રૂપાલ ગામની સીમમાં આવેલા ખેતરમાં ઝાડ નીચે બાંધેલી વાછરડીને દીપડાએ મારણ કર્યા બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. રાત્રીએ ફૂટ પેટ્રોલિંગ કર્યા બાદ મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું છે. હિંમતનગરના રૂપાલ ગામની સીમમાં ખેતર નજીક બુધવારે વહેલી સવારે ઝાડ નીચે બાંધેલી વાછરડીને દીપડાએ મારણ કરી જંગલ વિસ્તારમાં જતો રહ્યો હતો. ત્યારબાદ વાછરડીની આસપાસ વિસ્તારમાં પગના નિશાનો જોવા મળ્યા હતા. વાછરડીના માલિક રૂપાલ ગામના ખેડૂત હિતેશ ગોવિંદભાઈ વણકરે રાયગઢ વન વિભાગને જાણ કરી હતી. તો દીપડાના આતંકથી ગ્રામ્ય વિસ્તારમાં પાલતુ પશુઓના મારણના બનાવો વધ્યા છે. તો આ અગાઉ સઢામાં ત્રણ, હાથરોલમાં બે, મૂછનીપાળમાં એક, રૂપાલમાં એક પશુઓનું દીપડાએ મારણ કર્યાંના બનાવો બન્યા છે.રૂપાલ, સઢા, મૂછનીપાળ, વગડી, હાથરોલ ગામોના ખેત સીમાડાઓમાં અવાર-નવાર નર-માદા દીપડાઓ દેખા દેતા હોય છે. જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. જેને લઈને વન વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. રાત્રી દરમિયાન બીટગાર્ડ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું ત્યારબાદ રાત્રીએ મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું, આ અંગે રાયગઢ વન વિભાગના અનિરુદ્ધસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે ગ્રામજનોની માંગણીને લઈને રૂપાલ ગ્રામ્ય વિસ્તારમાં જંગલ પાસે ફૂટ પેટ્રોલિંગ કયું ત્યારબાદ પાંજરું મુકવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.