વાવના 25 ગામોના લોકોને 10 કિમી ફરીને જવા મજબૂર

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ વિસ્તારના 25 ગામોના ગામોના રહીશોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને થરાદ પંથકમાંથી આવતા વરસાદી પાણીના ભરાવાનો કાયમી નિકાલ કરી આપવાની માંગણી કરી હતી. વાવના લગામ,બુકણા,રેલચી,ખીમાણાવાસ,સરદારપુરા સહિતનાં 25 ગામોમાં દર વર્ષે ચોમાસામાં ઉપરવાસમાંથી રેલ નદીનું પાણી થરાદના દુધવાથી અને વાવના ઢીમાથી વાયા માલસણ,ચારડા,રાવળાથી આવે છે. જેમાં ગોલગામની જમીનોમાં અગાઉ રાહત કામમાં બનાવેલા આડબંધને કારણે રોકાઇ રહેવાથી આશરે 500 હેકટર જમીનમાં આશરે 4 થી 5 કિલોમીટર પાણી પ્રસરાયેલું છે,જેના કારણે આ સરહદી ગામોના કાચા રસ્તાનો ગામથી ગામ વચ્ચેનો સંપર્ક તુટી ગયો છે. આથી ઢોર ઢાંખર સાથે કાયમી વસવાટ કરતા 200 થી વધુ ખેડતોને રોજીંદા કામો માટે અવરજવર કરવા માટે નજીકના ગામમાં કે શહેર સુધી જવા માટે 2 થી 4 કિ.મી. જગ્યાએ 10થી 15 કિ.મી. ફરીને પારાવાર મુશ્કેલીઓ સાથે જવુ પડે છે. અને પ્રસુતી જેવી ઇમરજન્સીમાં પણ દવાખાના સુધી જવા માટે પારાવાર મુશ્કેલીઓ પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.