પાટણની ભગવતી ઇન્ટર નેશનલ શાળાના વિદ્યાર્થીઓ માટે પરિસંવાદ યોજાયો
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા આજરોજ ઇનવિનઝિબલ સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી ઋષિરાજ મોરીના સહકારથી શાળાના યુવા વિદ્યાર્થીઓ માટે ‘નો ટુ ડ્રગ્સ અને ડ્રગ્સ ફ્રી યુથ’ પર પરિસંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઋષિરાજ મોરી નેશનલ ડિફેન્સ એકેડેમી(NDA) અને હિમાલય માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટયૂટ, દાર્જિલિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાને કારણે તેમણે રાષ્ટ્રની સેવા કરી છે અને સાથે સાથે યુવાનોમાં યોગદાન આપવાનો શક્તિશાળી ઇરાદો ધરાવે છે.તેમને 2014માં ISCALEએવોર્ડ અને 2015માં Volunteerએવોર્ડ થી નવાજવામાં આવ્યાં છે. તેમણે 15+ પર્વતારોહણ અભિયાનો અને 10+ વધુ રોક ક્લાઈમ્બિંગ અભિયાનનું નેતૃત્વ કર્યું છે. નિસ્વાર્થ સેવાના તેમના આતુર સમર્પણ સાથે, તેઓ દેશભરના 3500 થી વધુ શિબિરો યોજીને 1,60,000 થઈ વધુ સહભાગીઓને સમિટ સુધી લઈ જવામાં સફળ રહ્યા છે.આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના ડાયરેક્ટર , સંસ્થાના ડેવલોપમેન્ટ ઓફિસર પ્રો. શાળાના આચાર્ય, શાળાના સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓએ ડ્રગ ફ્રી લાઈફ માટે શપથ લીધા અને યુવાનોને પરિવાર મિત્રો અને સમાજને જાગૃત કરવા પ્રેરિત કર્યા. સંસ્થાના એજ્યુકયુટીવ ડાયરેક્ટર ડૉ. જે. એચ. પંચોલીતે માટે સુભાશિષ પાઠવ્યાં હતા.