ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદની નાયબ કલેક્ટરને રજૂઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં મોહરમ તહેવાર નિમિત્તે નીકળતા તાજીયા જુલુસનો રૂટ લંબાવવાને બદલે જુના રૂટ મુજબ નીકળે તેમજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગેરકાયદેસર કતલખાના, લારીઓ બંધ કરાવવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ડીસામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મોહરમના તહેવાર નિમિત્તે જુલુસ નિકળવાનું છે અને તેના રૂટને ફુવારા સર્કલ સુધી લંબાવવા માંગણી કરી છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ જુલુસ જુના રૂટ મુજબ નીકળવામાં અને ફુવારા સુધીની મંજૂરી રદ કરવાની માં ગ કરી છે. સાથે અત્યારે હિન્દુ સમાજનો આસ્થા સમાન પવિત્ર અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે અત્યારે ચાલી રહેલા અધિક તેમજ આગામી શ્રાવણ સુધી ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ અને લારીઓ બંધ કરાવવામાં આવે તેવી માંગણી સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મોહરમ નિમિત્તે તાજીયા જુલુસ નીકળે છે. તે તેમના વિસ્તાર પૂરતાજ નીકળવામાં આવે. કારણ કે હિન્દુ સમાજના તહેવારોમાં રથયાત્રા નીકળવામાં આવે છે તે હિન્દુઓના વિસ્તાર સુધીજ નીકળવામાં આવે છે. જેથી દર વર્ષે તાજીયા જુલુસમાં વધારતા રૂટને ટૂંકો કરી તેમના જ વિસ્તાર પૂરતી પરવાનગી આપવામાં આવે અને પવિત્ર અધિક અને શ્રાવણ માસ નિમિત્તે ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.