થરાદની મુખ્ય કેનાલમાં સાયફનનો ગંદુ પાણી ભળતા લોકોમાં ભારે નારાજગી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં તંત્ર દ્વારા સાયફનનો ગંદો પાણી ઠાલવાતાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. આ મુખ્ય કેનાલ દ્વારા જ થરાદ શહેર, વાવ શહેર તેમજ વાવ, થરાદ તાલુકાઓના અનેક ગામડાઓમાં સીધે સીધું પીવાનું પાણી આપવામાં આવે છે. કેનાલથી સીધું જે તે ગામ શહેરના પાઇપ કનેક્શનો, સ્રોતોમાં આ પાણી મુકાય છે અને તે પાણી લોકોના ઘેર જાય છે, લોકો આ પાણી પીવે છે. કેનાલના આ પાણીને શુદ્ધ કરીને પણ અપાતું નથી. જે તે સ્થિતિમાં પણ કેનાલનું પાણી પીવાને લાયક ન ગણી શકાય ત્યારે આ સાવ ગંદુ પાણી પણ કેનાલમાં ભળે તોઓ લોકોના આરોગ્ય જોખમાય એમાં નવાઇ નથી. કોઇ મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલાં સાયફનનો ગંદુ પાણી કેનાલમાં ઠલવાતાં રોકવું જોઇએ. ખાનપુરમાં વરસાદી પાણી ભરાતું હોય છે, જેનો નિકાલ માલસણ કેનાલ દ્વારા કરવામાં આવતું હોય છે. આ વખતે આ પાણી મુખ્ય કેનાલમાં નાખી લાખો લોકોના આરોગ્ય જોખમાય તેવું કામ તંત્ર દ્વારા થઈ રહ્યો છે.

આ મામલે થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પણ તંત્રને કેનાલમાં ઠલવાતું આ ગંદુ પાણી રોકવાની અપિલ કરી છે. તેમણે કલેક્ટર તેમજ જે તે વિભાગને પણ આ ગંદુ પાણી મુખ્ય કેનાલમાં ન નાખવા માંગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.