વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં ઘૂંટણ તેમજ મોતિયાને ઓપરેશન વિનામૂલ્યે કરાશે

મહેસાણા
મહેસાણા

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પીટલ ખાતે સંસ્થાના ચેરમેન તેમજ ટ્રસ્ટીગણ દ્વારા જાહેર જનતાને લાભાર્થે આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવી રહી છે. આ આરોગ્યલક્ષી સેવામાં વધુ નવી સુવિધાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના કાર્યકમ અંતગર્ત ઘૂંટણ તેમજ મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ સુવિધાઓનો લાભ લેવા માટે ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.નૂતન જનરલ હોસ્પીટલ ખાતે આયુષ્માન ભારત સરકારી યોજના તેમજ PMJAY યોજના અંતગર્ત ઘૂંટણનુ ઓપરેશન તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે. વિસનગર સહિત આજુબાજુના દર્દીઓને આ સુવિધાઓનો લાભ મળે તે માટે ચેરમેન પ્રકાશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીગણના અથાગ પ્રયત્નો થકી નૂતન જનરલ હોસ્પિટલમાં ઘૂંટણ અને મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં એન્ડોસ્કોપીની મોંઘી સારવાર છે. તેના તમામ સાધનો લાવી સારવાર તદ્દન રાહતદરે કરવામાં રહી છે. આ તમામ સુવિધાઓનો લાભ લેવા માટે ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.