થરાદની મુખ્ય બજારમાં પડેલો ખાડો જીવલેણ બનવાની દહેશત

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના હાર્દસમાં નગરના મુખ્ય બજારમાં દિવસભર અનેક પ્રજાજનો અને જનતા હાઇસ્કુલના હજારો વિદ્યાર્થીઓની અવર-જવર રહે છે. જૈન નગરી તરીકે ઓળખાતા થરાદ નગરના મુખ્ય બજારમાં ચાર્તુમાસ પ્રસંગે બહારથી પણ જૈનપરિવારો માદરે વતન અવર-જવર કરતા રહે છે. ત્યારે થરાદની મુખ્ય બજારમાં મોચીબજારમાં એક મહિના જેટલા સમયથી પડેલો ઉંડો ખાડો કોઈ માણસ કે પશુનો ભોગ લે તે પહેલાં તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

વરસાદથી ખાડો પાણીથી ભરાઈ જાઈ છે. જેને લીધે રાહદારીઓ અને વાહન ચાલકો ખાડો ન દેખાવાથી જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈનો જીવ ગુમાવવો પડે એ પહેલાં ખાડો રીપેર કરાય એવી નગરપાલિકા પાસે લોકો અપેક્ષા રાખી બેઠા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.