બનાસકાંઠા જિલ્લામાં નદીઓના પટમાં પ્રવેશબંધીના સરેઆમ ધજાગરા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાની બનાસ અને બાલારામ નદી હાલ બંને કાંઠે વહી રહી છે. જેને લઈ હાલ મોટી સંખ્યામાં લોકો નદીઓ ના વહેતા પાણીમાં નાહવા ઉમટી રહ્યા છે. જોકે, નદીઓના વ્હેણમાં અગાઉ ડૂબી જવાને લઇ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેને લઇને નદીઓના પટ માં લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વર અને બાલારામ નજીક ધારમાતા મંદિર પાસે મોટી સંખ્યામાં લોકો નદીમાં નાહતાં જોવા મળી રહ્યા છે.

ચોમાસાની સિઝનને લઇ બનાસકાંઠા જિલ્લામાં હાલ નદી નાળા સજીવન બની ને બંને કાંઠે વહેવા લાગ્યા છે. જોકે, બંને કાંઠે વહેતી નદીઓમાં લોકોના પ્રવેશ થી હોનારત સર્જાવાની સંભાવના ને લઇ વહેતી નદીઓનાં પટ માં લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વર અને બાલારામ નજીક ધારમાતા મંદિર પાસે બંને કાંઠે વહેતી નદીઓમાં લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અને નદીમાં વહેતા પાણીમાં લોકોએ નાહવા ડૂબકી લગાવતા જોવા મળ્યા હતા.

જોકે, આ બંને નદીમાં ઠેર-ઠેર ખાડા ખાબોચિયા હોવાંને કારણે અગાઉ અનેક લોકો ડૂબી જવાના કારણે મોતને ભેટ્યા હતા. તેમ છતાં લોકો જીવના જોખમે નદીઓના વહેણમાં ડૂબકી લવાવવા ઉમટી રહ્યા છે. જેને લઇ જાનહાની સર્જાવાની સંભાવના વર્તાઈ રહી છે.ત્યારે જવાબદાર તંત્ર લોકોને નદી માં જતા લોકોએ અટકાવે તે જરૂરી બન્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.