માટીને વંદન, વીરોને વંદન’ ટેગલાઈન સાથે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે
આપણી માતૃભૂમિની માટી સાથે આપણા સૌનો અતૂટ સંબધ રહેલો હોય છે. માતૃભૂમિની માટી જ લોકોને સાંકળે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષની ઉજવણીની થીમ પણ માટી સાથે જ સંકળાયેલી છે. ‘મારી માટી,મારો દેશ થીમ અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે. જેને અનુલક્ષીને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે મુખ્ય સચીવ ની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યના દરેક અધિકારીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 9 મી ઓગષ્ટથી આખો મહિનો ‘’મારી માટી,મારો દેશ’’ અતર્ગત ‘’માટીને વંદન, વીરોને વંદન’’ ટેગલાઈન સાથે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. તા.9 થી 15 ઓગષ્ટ સુધી પંચાયત કક્ષાએ કાર્યક્રમો કરવામાં આવશે.તા.12 થી 20 ઓગષ્ટ સુધી તાલુકા કક્ષાએ, ત્યારબાદ અંતિમ કાર્યક્રમ તા.30 ઓગષ્ટના દિલ્હી ખાતે કર્તવ્યપથ પર યોજાશે.આઝાદી કા અમૃત મહોત્સવની આ ક્લોઝીંગ સેરેમની રહેશે. જે અતર્ગત ઉજવણીમાં દરેક ગામોથી લઈને તાલુકા, જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાશે. આપણે સૌ જાણીએ છીએ એવી રીતે તા. 12 મી જૂલાઈ, 2021થી આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી. જે અંતર્ગત ગૌરવની વાત એ છે કે, દેશમાં સૌથી વધુ કાર્યક્રમો ગુજરાતમાં કરવામાં આવ્યા છે. ગત વર્ષે જે રીતે ‘’હર ઘર તિરંગા’’ કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવી હતી. એવી જ રીતે આ વર્ષે ‘’મારી માટી,મારો દેશ’’ થીમ અંતર્ગત કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને તેઓને નમન કરી શ્રદ્ધાંજલી આપવામાં આવશે. પોલીસ,નેવી,આર્મી,વાયુદળ વગેરેના જવાનોને નમન કરવા માટેની આ ઉજવણી છે. ઓગષ્ટ મહિનામાં દરેક ભારતીય માતૃભૂમિનું ઋણ અદા કરશે અને માતૃભૂમિને વંદન કરશે.