ડીસામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યભરમાં ગામડાઓમાં અનુસૂચિત જાતિના લોકોને સ્મશાન માટે જમીન નીમ કરવાની તેમજ સ્મશાનમાં સુવિધા ઉભી કરી આપવાની માગ સાથે આજે દલિત સમાજના આગેવાનોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.વર્ષ 2020માં દસાડાના તત્કાલીન ધારાસભ્ય નૌશાદ સોલંકીએ રાજ્ય સરકારને પત્ર લખી રાજ્યના તમામ ગામોમાં અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાનની જમીન નીમ કરવા તેમજ સ્મશાનમાં આધુનિક સુવિધાઓ ઉભી કરી આપવાની માગ કરી હતી. જે અનુસંધાને મહેસુલ વિભાગે આ બાબતે પત્ર લખી તમામ કલેક્ટરોને આ સંદર્ભે કાર્યવાહી કરવા જાણ કરી હતી. જોકે ત્યારબાદ પણ હજુ સુધી અનેક ગામોમાં સ્મશાનની જગ્યા ન હોવાથી દલિત સમાજના લોકોને અંતિમ વિધિ કરવા તકલીફ પડતી હોઇ સ્મશાન માટે જમીન નીમ કરવાની માગ કરવામાં આવી છે.

ડીસા નાયબ કલેકટરને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. ગૌતમ છત્રાલીયા અને શંકર ડાભી સહિત આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગામડાઓમાં અનેક ગામોમાં અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાનની જગ્યા નથી તેવા ગામોમાં સ્મશાનની જગ્યા તાત્કાલિક નિમ કરવી તેમજ સ્મશાનમાં આધુનિક વિકાસ કાર્યો કરી સુવિધાઓ ઉભી કરી આપવી. અગાઉ આ અંગે સરકારે કલેક્ટરોને તેમજ કલેક્ટરોએ નાયબ કલેક્ટરો મામલતદારોને આ સંદર્ભે કાર્યવાહી કરવા સૂચના આપી હોવા છતાં હજુ સુધી જમીનો નીમ કરાઈ નથી. તેથી અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાની લાગણી સમાજ અનુભવે છે. જેથી આ સંદર્ભે ઝડપથી કાર્યવાહી કરવા માગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.