અંબાજીમાં કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા અંબાજી મંદિરમાં 52 ગજની ધજા ચઢાવવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે. લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા અંબાજી મંદિર ખાતે 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી. કર્ણાવતી મહાનગર યુવા મોરચાના પ્રમુખપદે ૨ વર્ષનો સફળ કાર્યકાળ પૂરો થતાં યુવા મોરચાના પ્રમુખ વિનયભાઈ દેસાઈએ કર્ણાવતી મહાનગર યુવા મોરચાના બધા જ વોર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખને સાથે લઈ માઁ અંબાના દર્શનાર્થે અંબાજી આવી પહોંચ્યા હતા. અંબાજી આવી મોરચાના તમામ સભ્યો સાથે માતાજીના નિજ મંદિર ખાતે પહોંચી માતાજીના દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા. ત્યારબાદ માતાજીના નિજ મંદિરમાં પૂજારીઓ દ્વારા વિધિવત પૂજન કરી ધજા ચઢાવવામાં આવી હતી. સૌએ માતાજીના દર્શન કરી, પૂજન-અર્ચન કરી, ધજા ચઢાવી મોરચાના તમામ સભ્યોએ ધન્યતા અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.