![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/06-20.jpg)
હિંમતનગર તાલુકાના પીપલોદી પાસેથી પસાર થતી હાથમતી નદીમાં ડૂબી યુવાનની આજે સવારે મૃતદેહ મળ્યો
હિમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં જૈન દેરાસર પાસે રહેતો અને હિંમત હાઈસ્કૂલમાં ધો-12 કોમર્સમાં અભ્યાસ કરતો અને વર્ગનો મોનીટર હર્ષ મહેન્દ્રભાઈ પ્રજાપતિ ગતરોજ બપોરે ચાર મિત્રો સાથે પીપલોદી પાસેથી પસાર થતી હાથમતી નદી પરના ધોધ નજીક પહોંચ્યા હતા. દરમિયાન અચાનક હર્ષ ધોધના ધસમસતા પાણીના પાણીના પ્રવાહમાં ડૂબી ગયો હતો. ઘટના અંગે ફાયર વિભાગ અને હિમતનગર બી ડીવીઝન અને ગ્રામ્ય પોલીસને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો બી ડીવીઝન અને ગ્રામ્ય પોલીસ પણ પહોચી હતી. બીજી તરફ ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ અંધારાને લઈને શોધખોળ બંધ કરવામાં આવી હતી. દરમિયાન સાડા આઠ વાગ્યે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ધોધ નીચેની કોતરોમાંથી મળી આવ્યો હતો. આમ 20 કલાકે યુવકનો મૃતદેહ મળ્યો હતો. જે બહાર કાઢ્યો હતો. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદ હોવાને લઈને ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં ધો-12 કોમર્સમાં અભ્યાસ કરતો અને ડ-વર્ગનો મોનીટર હર્ષ મહેન્દ્રભાઈ પ્રજાપતિ પીપલોદી પાસેની હાથમતી નદીમાં ડૂબી ગયો હતો. જેનો મૃતદેહ સોમવારે સવારે મળ્યો હતો. બીજી તરફ સ્કૂલમાં અભ્યાસ કરતો વિધાર્થી હર્ષ પ્રજાપતિના મૃત્યુના દુખદ સમાચાર સ્કૂલના આચાર્યને મળ્યા હતા. મૃત્યુ પામેલ વિધાર્થી સ્વર્ગસ્થ હર્ષ પ્રજાપતિની આત્માની શાંતિ માટે સ્કૂલમાં સોમવારે સવારે બે મિનિટનું મૌન પાળ્યું હતું અને સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું હતું. આ અંગે હિંમત હાઇસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે સ્વર્ગસ્થ હર્ષ પ્રજાપતિની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળી સ્કૂલનું શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.