મોરપા ગામની ગટરલાઈનમાં ભંગાણથી કેનાલમાં ગંદા પાણી ભરાતાં હાલાકી
સરસ્વતી તાલુકાના મોરપા ગામની ગટરલાઇન પાણીના નિકાલનું કનેક્શન કેનાલમાં પસાર થઈ રહ્યું હોય તેમાં ભંગાણ સર્જાતાં હાલમાં કેનાલમાં ગટરના પાણીથી ભરાઈ જતા આજુબાજુના રહીશોને દુર્ગંધ યુક્ત પાણીથી રોગચાળાની ભીતિ સર્જાઇ રહી છેમોટા નાયતા ગામનું તળાવ સુજલામ સુફલામ્ કેનાલ દ્વારા પાણી ભરવા માટે મોરપા ગામના તળાવથી બે વર્ષ પહેલાં કાચી કેનાલ ખોદવામાં આવી હતી. પણ આજ દિન સુધી સુધી પાણી નાખ્યું નથી. ત્યારે તે કેનાલની અંદરથી પસાર થતી મોરપા ગામની ગટર લાઈનના કનેક્શનમાં ભંગાણ સર્જાતાં ગટરના દૂષિત પાણીથી કેનાલ ભરાઈ ગઈ હતી. આ દુર્ગંધ યુક્ત પાણીથી કેનાલ નજીક વસવાટ કરતા લોકોમાં રોગચાળાની ભીતિ સર્જાઈ રહી છે મોરપાથી એંદલા અને કાનોસણ ગામને જોડતા મુખ્ય રોડની બાજુમાં ફક્ત બે ફુટના અંતરે કેનાલ ખોદી છે. તેમજ મોરપા ગામથી નાયતા ગામના મુખ્ય રોડની સાઈડમાં પણ બે ફુટના અંતરે કેનાલ ખોદી છે, જે ભારે વરસાદ થતાં ધોવાણ થતાં રોડને નુકસાન થાય છે. વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય સતાવે છે.