હારીજના જશોમાવ ગામના યુવાને અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી

પાટણ
પાટણ

હારીજ તાલુકા ના જશોમાવ ગામ પાસે થી પસાર થઈ નર્મદા કેનાલ જશોમાવ ગામ ના એક યુવાને અગમ્ય કારણોસર કેનાલ માં પડી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. ફાયર વિભગે લાશ ને બહાર કાઢી લાશનું પી એમ કરવી લાશ ને વાલી વરસ ને સોંપવામાં આવી હતી.પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જશોમાવ ગામ પાસે થી પસાર થતી નર્મદા કેનાલ માં રવિવારે 11વાગ્યા આસપાસ ના સમય માં જશોમાવ ગામના પ્રવીણ ભાઈ પ્રધાનજી ઠાકોર ઉમર 31 વર્ષએ કોઈ અગમ્ય કારણે સર કેનાલ માં પડી આત્મહત્યા કરી હતી.કેનાલ પાસે યુવાન નું બાઈક ,મોબાઈલ અને ચપ્પલ પડ્યા હતા જેના કારણે ખબર પડી કે યુવાને આત્મહત્યા કરી છે જેની જાણ લોકોને થતા લોકો જોવા દોડી આવ્યા હતા,પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.ત્યાર બાદ શૈલેષજી ઠાકોરે મહેસાણા ફાયર વિભાગ ને જાણ કરતા મહેસાણા ની ફાયર ટીમ આવી પહોંચી હતી અને કેનાલ માં રસ્સા,બોરીગ અને લાઈફજેક્ટ ની મદદ થી શોધખોળ કરી ભારે જહેમત બાદ સાંજે 5 વાગે યુવાની લાશ બહાર કાઢવામાં આવી હતી. ચાણસ્મા ખાતે પી એમ કરી લાશ ને વાલી વરસ ને સોંપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.