ડીસામાં વાળીનાથધામ તરભના મહંત‌‌ જયરામગીરી બાપુનું ભવ્ય સામૈયું કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેર સમસ્ત રબારી સમાજ દ્વારા એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે રબારી સમાજની ગુરૂગાદી વાળીનાથ ધામ તરભના પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુનું ભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું.રબારી સમાજની ગુરૂગાદી વાળીનાથ ધામ તરભના પરમ પૂજય 1008 બ્રહ્મલીન મહંત બળદેવગીરી બાપુ દ્વારા બનાવવામાં આવેલા નૂતન શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અતિરૂદ્ર મહાયજ્ઞ 2024માં ભવ્યાતિ ભવ્ય રીતે યોજનાર છે. ત્યારે સમસ્ત રબારી સમાજ આ અણમોલ અવસરમાં જોડાય તે માટે વાળીનાથ ધામ દ્વારા ગામે-ગામ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રવિવારે ડીસા ખાતે પ.પૂ.મહંત જયરામગીરી બાપુ ડીસા ખાતે આવી પહોંચતા સમસ્ત ડીસા શહેર રબારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સામૈયું અને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે રબારી સમાજ દ્વારા ડીસા એપીએમસીના નવનિયુક્ત ચેરમેન ગોવાભાઈ રબારી અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું પણ વિશેષ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડીસા શહેર રબારી સમાજના આગેવાનો ઉપરાંત યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. મહેસાણાના વિસનગર તાલુકાના તરભ ગામમાં વાળીનાથ ભગવાન (શિવ મંદિર) નું ભવ્ય મંદિર આકાર પામ્યું છે. જેમાં સમસ્ત રબારી સમાજના સાથ અને સહકારથી નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અતિરૂદ્ર મહાયજ્ઞ યોજાનાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.