થરાદના સણવાલના યુવકની નર્મદા કેનાલમાં મોતની છલાંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના આજાવાડાની સીમમાંથી વાવના સણવાલના યુવકનો મૃતદેહ મળી આવતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
બનાવના પગલે અરેરાટી પ્રસરી હતી.થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદના આજાવાડા ગામની સીમમાં અજાવાડા-રામપુરા ગામ વચ્ચે પસાર થતી નર્મદાની મુખ્ય નહેરના કિનારે એક મોટરસાયકલ પડેલું જોવા મળ્યું હતું. આથી આ બનાવ અંગે આજુબાજુમાં પસાર થતા રાહદારી અને ખેડુતોએ ગ્રામજનોએ જાણ કરતાં પોલીસ દ્વારા તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરાવી હતી.દરમિયાન મળી આવેલા મૃતદેહની ઓળખવિધી કરવામાં આવતાં તે વાવના સણવાલગામના ભેરાભાઇ અરજણભાઇ વજીરની હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવને લઇને પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી હતી. પોલીસે મૃતકના પરિવારને ઘટનાની જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.