અમદાવાદમાં બનેલી ગોઝારી ઘટનાના પગલે પાલનપુર પોલીસ એકશનમાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

અમદાવાદમાં બનેલી ગોઝારી ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયા છે. જેના પગલે પાલનપુરમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકો મોતને ભેટ્યા હતા. જેના પગલે બનાસકાંઠા પોલીસ એલર્ટ થઇ ગઇ છે. ડીવાયએસપી કૃણાલ રાઠોડ, પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ આર.બી.ગોહીલ અને પીએસઆઇ એમ.એમ.કુરેશી સહીત પશ્ચિમ પોલીસ મથકનો સ્ટાફ અને સિટી ટ્રાફીક દ્વારા પાલનપુર એરોમા સર્કલ ખાતે સઘન ટ્રાફીક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં નંબર વગરના, કાળી ફિલમ વાળા વાહનોને રોકાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ નાની ઉંમરના યુવકો વાહન ચલાવતા હોય કે ગાડીના કાગળો સહીત ટ્રાફીક નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.