ડીસામાં ગાયત્રી મંદિર આગળ ભરચક રોડ વચ્ચે બે આખલાઓ શિંગડા યુદ્ધે ચડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ હોવા છતાં પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે. ગાયત્રી મંદિર આગળ બે આખલાઓ શિંગડા યુદ્ધે ચડતા રાહદારીઓને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.રખડતા પશુઓની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેને કાબુમાં લાવવા માટે નાયબ કલેક્ટર દ્વારા જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યામાં કોઈ જ ફેર પડ્યો નથી. જેમાં આજે ડીસાના હાર્દ સમાન ગાયત્રી મંદિર આગળ જાહેર માર્ગ વચ્ચે બે આખલાઓ શિંગડા યુદ્ધે ચડતા વાહન ચાલકો અને રાહદારીઓ ભયભીત બન્યા હતા.સતત દસ મિનિટ સુધી રખડતા બે આખલાઓ શિંગડા યુદ્ધ ચાલુ રાખતા વાહનચાલકો અને લોકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઉલ્લેખનીય છે કે ડીસામાં જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર લોકો સામે અત્યાર સુધી 10 જેટલી ફરિયાદો નોંધાઇ છે. તેમ છતાં પણ નથી તો જાહેરમાં ઘાસચારો નાખવાનું બંધ થયું કે નથી. રખડતા પશુઓની સમસ્યા હલ થઈ. જેના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર રખડતા પશુઓની સમસ્યામાંથી કાયમી છુટકારો અપાવે તેવી લોકોની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.