કાંકરેજના માનપુરા બ્રિજ નજીક ટ્રેલરના ચાલકે રિક્ષાને ટક્કર મારી ત્રણ લોકો ઈજાગ્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજના માનપુરા બ્રિજ નજીક રીક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેલર ચાલકે આગળ જઈ રહેલી રીક્ષાને ટક્કર મારતા રીક્ષામાં સવારે ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે શિહોરી રેફરલ ખાસેડવામાં આવ્યા છે. બનાવના પગલે ઘટના સ્થળે શિહોરી પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લા અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં અકસ્માત એક બાદ એક જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે કાંકરેજના માનપુરા બ્રિજ નજીક એક ટ્રેલર ચાલકે આગળ જઈ રહેલી રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ જેવા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી પહોંચી રીક્ષામાં સવાર લોકોને બહાર નીકાળી સારવાર અર્થ સિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે બનાવના પગલે સિહોરી પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.