પાલનપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમાં ટેટ અને ટાટ પાસ કરેલ ઉમેદવારોની જ્ઞાન સહાયકની કાયમી ભરતી કરવા તેમજ રાજ્યની ગ્રાંન્ટીનેટ લો કોલેજોમાં પ્રવેશ પ્રકિયા ચાલુ કરવાની માંગ કરાઈ હતી.રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શિક્ષકોની ઘટ પૂરી કરવા અગિયાર માસના કરાર પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારોની તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની જોગવાઇ ને લઇ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી શિક્ષક બનવાની તૈયારીઓ કરતા અનેક ઉમેદવારોને કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીથી અન્યાય થતા આ ભરતીનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આ ભરતીનો વિરોધ કરી ટાટ અને ટેટ ના ઉમેદવારો ની જ્ઞાન સહાયકની કાયમી ભરતી કરવા તેમજ રાજ્યમાં વિવિધ આઠ ગ્રાન્ટીનેટ લો કોલેજોમાં પ્રવેશ પ્રકિયા રોકવાને લઇ કેટલાય વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત રહે છે જેને લઈ તેમને મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે ત્યારે ત્વરિત ધોરણે કોલેજોમાં પ્રવેશ આપવાની મંજુરી આપવાની માંગ કરાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.