બહુચરાજીમાં વીજ સમસ્યા દૂર કરવા નવું ફીડર શરૂ કરાતાં વીજ ગ્રાહકોને રાહત

મહેસાણા
મહેસાણા

બહુચરાજી વીજ કંપની દ્વારા 11 કેવી બહુચરાજી સિટી અને શંખલપુર ફીડરનું વિભાજન કરી નવીન 11 કેવી ચુંવાળ ફીડર ઊભું કરી શરૂ કરી દેવાયું છે. જેને લઇ યાત્રાધામ બહુચરાજીમાં કાલરી રેલવે ફાટક સહિતના વિસ્તાર તેમજ શંખલપુર ગામમાં વારંવાર વીજફોલ્ટના કારણે ઉદભવતી વીજકાપની સમસ્યાથી કાયમી ઉકેલ આવશે. આ નવા ફીડરમાં વીજ ગ્રાહકોને સમાવી લેવામાં આવ્યાં છે. બહુચરાજીના કાલરી રેલ્વે ફાટક વિસ્તારોની સોસાયટીઓનો વીજ પુરવઠો વર્ષોથી શંખલપુર ફીડરમાંથી અપાતો હતો. મોટા વિસ્તારને લઇ આ વિસ્તારમાં વીજફોલ્ટ સમયે વીજકાપને લઇ લોકો હેરાન પરેશાન થતા હતા.

આ સમસ્યાના ઉકેલ માટે શંખલપુર ફીડરનું વિભાજન કરવા સોસાયટી વિસ્તારના જાગૃત આગેવાનોએ વીજકંપની કડી અને બહુચરાજીમાં રજૂઆત કરાઇ હતી. જેને ધ્યાને લઈ કડી અને બહુચરાજી વીજકંપની અધિકારીઓ દ્વારા બહુચરાજી સિટી અને શંખલપુર ફીડરનું વિભાજન કરી નવીન ચુંવાળ ફીડર ઊભું કરાયું છે. જેનો આરંભ મંગળવારે નાયબ ઇજનેર સી.કે. માલીવાડના હસ્તે શ્રીફળ વધેરીને કરાયો હતો. ચુંવાળ ફીડરમાં કાલરી રેલવે ફાટક વિસ્તારની સોસાયટીઓ, વલ્લભ ભટ્ટ વાવ રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ બહુચર માતાજી મંદિર સંકુલ સહિતનો સમાવેશ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.