બનાસકાંઠામાં દશામાના વ્રતની 10 દિવસ સુધી ભક્તો કરે છે માતાજીની આરાધના

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં અષાઢ સુદ અમાસ એટલે દિવાસો. દિવાસાના દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના દિવસે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં મોટાભાગની મહિલાઓ માતાજીના વ્રત રાખે છે. દિવાસામાં મહિલાઓ દશામાની મૂર્તિ ઘરે લાવી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીને રીઝવવાનો પ્રયાસ કરે છે. ભક્તો માને છે કે માતાજીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતા મોટાભાગના તહેવારો અને વ્રતની ઉજવણી થવા લાગે છે. અષાઢ સુદ અમાવસના દિવસે દિવાસાની શરૂઆત થાય છે. આ દિવસે દશામાના વ્રતની શરૂઆત થાય છે.
દશામાના વ્રતની ઉજવણી સૌથી વધુ મહિલાઓ કરતી હોય છે. મહિલાઓ દિવાસાના દિવસે પોતાના ઘરે દશામાંની મૂર્તિઓ લાવી 10 દિવસ નકોરડા ઉપવાસ રાખી દશામાના વ્રતની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે.બનાસકાંઠા જિલ્લામાં અષાઢ સુદ અમાવસના દિવસથી મહિલાઓ પોતાના ઘરે દશામાની મૂર્તિ લાવી ઘરે સ્થાપના કરી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ રાખી ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. ભક્તોની માન્યતા છે કે દશામાનો ઉપવાસ કરવાથી પરિવારમાં સુખ શાંતિ, તેમજ પતિ તેમજ પુત્રનું લાંબુ આયુષ્ય,પુત્ર પ્રાપ્તિ સહિતની મનોકામના પૂર્ણ થાય છે. દિવાસાના દશ દિવસોમાં ભક્તો માતાજીની પૂજા અર્ચના કરે છે.10માં દિવસે ભક્તો માતાજીને થાળ ધરી આખી રાત જાગરણ કરે છે. 11 દિવસે વહેલી સવારે માતાજીની મૂર્તિને નદી અથવા તળાવમાં વિસર્જન કરી આશીર્વાદ મેળવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.