બનાસકાંઠામાં બિપરજોય વાવાઝોડામાં દાડમના છોડ ઉખડી જતા વ્યાપક નુકશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ થરાદ, લાખણી, ભાભર,દિયોદર અને વાવ તાલુકામાં બાગાયતી પાક એટલે કે દાડમનું વાવેતર કરનાર ખેડૂતોને નુકસાન થયું હતું. ખેતરમાં તૈયાર થયેલા દાડમના આખે આખા છોડ જમીનમાંથી ઉખડી ગયા હતા. છેલ્લા ત્રણ ચાર વર્ષથી તૈયાર કરેલા દાડમના છોડ નેસ્તનાબૂદ થઈ જતા એક એક ખેડૂતને 3 થી 5 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું હતું. જેમાં સરકારે હવે 33 ટકાથી વધુ નુકસાન હોય તો પ્રતિ હેક્ટરે રૂ.37,500 અને જુના છોડ માટે 25 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.જો કે નાયબ બાગાયતી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નુકસાનીને લઈને જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અમારા પાસે હજુ કોઈ સત્તાવાર પરિપત્ર આવ્યો નથી, પરંતુ જે પ્રમાણે સાંભળવા મળ્યું છે એ પ્રમાણે ખેડૂતોને બાગાયતી પાકમાં થયેલા ઉત્પાદનના નુકસાનમાં બે હેકટર દીઠ 37,500 રૂપિયા સહાય આપવામાં આવશે. જે દાડમના ઝાડ મૂળમાંથી ઉખડી ગયા છે કે મૂળમાંથી જ જેને નુકસાન થયું છે. તેવા પાકમાં પ્રતિ બે હેક્ટર દીઠ 1.25 લાખની સહાય આપવામાં આવશે. જ્યારે ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું હતું કે 33 ટકાથી વધુ નુકસાન હોય તેવો 1.25,000 હેક્ટર વિસ્તાર છે. જેમાં 102 હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે, જ્યારે વર્ષોથી દાડમના છોડ ઉભા હોય તેવી 117 હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. મતલબ દાડમની ખેતી કરનાર ખેડૂતોને વાવાઝોડાથી સરેરાશ 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જેની સામે સરકાર હવે માત્ર 25,000 રૂપિયા લેખે સહાય ચૂકવે જે મામૂલી છે. જેથી સરકાર વધુ સહાય આપે તો થોડી રાહત મળી શકે તેવી માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.