અમીરગઢમાં સરકારી વિનયન કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢમાં સરકારી વિનયન કોલેજમાં એન. એસ. એસ. સામુદાયિક સેવાધારા તથા ઈકો ક્લબના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી મેરા દેશ અન્વયે જુલાઈના પ્રથમ પખવાડિયામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 રોપાઓ સાથે અમૃત મહોત્સવનું પ્રતીક બનાવ્યું હતું. અમીરગઢ ના રેન્જ ફોરેસ્ટના સહયોગ થી કોલેજ કેમ્પસ, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કબ્રસ્તાન તથા મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રાધ્યાપક મુકેશકુમાર ગઢવી તથા ડૉ. નરેશ જોષી દ્વારા વૃક્ષના મહત્વ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ કોલેજના તમામ સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ ના સહયોગ થી કાર્યક્રમ સંપન્ન થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.