પાટણની આર્ટસ કોલેજમાં સ્વાવલંબી ભારતમાં યુવાનીની ભૂમિકા વિષય પર વ્યાખ્યાન યોજાયું
પાટણની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજમાં આજરોજ એન એસ એસ વિભાગ તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાવલંબી ભારતમાં યુવાનીની ભૂમિકા – વિષય પર હેમ ઉં.ગુ.યુનિના આસિ. રજિસ્ટ્રાર કમલભાઇ મોઢે વ્યાખ્યાન આપ્યું હતું.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોલેજના આચાર્ય ડો.એલ એસ. પટેલે મહેમાનનું સ્વાગત કર્યું હતું, અને સ્વાવલંબી ભારતમાં યુવાનોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે તેમ જણાવ્યું હતું. એ.બી.વિ પી સંસ્થાના પ્રતિનીધિ મૌલિકભાઇએ સંસ્થાની કામગીરી વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા કમલામાઇએ ભારતનાં પ્રાચીન વૈભવ વિશે જણાવી અલની વર્તમાન ભારતની અર્થવ્યવસ્થા પર પ્રકાશ પાડ્યો હતો.આઝાદીના 75 વર્ષ બાદ ભારતે આજે વૈશ્વિક પટેલ પર ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. પ્રાચીન ભારતના વૈભવને પુનઃ પ્રાપ્ત કરાવવા માટે તેમણે વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. વિકાસના પાયા તરીકે સ્થાનિક બજારને વેગ આપવો. સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખવો, સ્વરોજગાર માટે ઉદ્યમિતા તથા સહકારિતા ને ગણાવ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન એન એસ એસ. વિભાગના વિદ્યાર્થી ધવલ સાધુએ કર્યું હતું. પ્રા.કણાલ કપાસીએ આભારવિધિ કરી હતી. કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.