સુદાસણા ગામ પાસે વિરપુર વિસ્તારમાં રહેણાંક મકાનમાં અજગર ઘૂસ્યો

મહેસાણા
મહેસાણા

ખેરાલુ તાલુકામાં આવેલા સુદાસણા ગામના વીરપુર વિસ્તારમાં આવેલા એક મકાનમાં આજરોજ વહેલી સવારે અજગર ઘૂસી ગયો હતો. જેથી મકાનમાં રહેતા પરિવારજનો ચોકી ઉઠ્યા છે. ત્યારે અજગરના રેસ્ક્યુ માટે ફોરેસ્ટર વિભાગને જાણ કરવામાં આવતા સ્થાનિક ટીમ ઘટના સ્થળે દોડી આવી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સતલાસણા તાલુકામાં સુદાસણા ગામના વીરપુર ખાતે રહેણાંક વિસ્તારમાં અજગર ઘૂસી આવ્યો હતો. વીરપુર ખાતે રહેતા ઝાલા અશ્વિનસિંહ જવાન સિંહ ના મકાનમાં આજે વહેલી સવારે ઓસરીમાં અજગર દેખાયો હતો. અજગરને જોઈ પરિવાર જનો ચોકી ઉઠ્યા હતા. બાદમાં સ્થાનિક વન વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગના અતુલ સિંહે 6 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.