ચાણસ્માનાં રૂપપુરમાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીએ પૂજારી સામે ફરિયાદ નોંધાવી
ચાણસ્મા તાલુકાનાં રૂપપુર ગામે આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરનાં પૂજારીએ તેમનાં પરિવારનાં સભ્યો દ્વારા મંદિરની ટ્રસ્ટની મિલકતોનો ખોટી રીતે કબજો કરીને ખોટા દસ્તાવેજો બનાવી પોતાની મિલકત હોવાના રેકર્ડ ઉભા કરીને તેઓના નામે ચઢાવી મિલકતોમાં ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે કબજો કરી ટ્રસ્ટી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનો આક્ષેપ કરતી ફરીયાદ મંદિરનાં ટ્રસ્ટી મહેશભાઇ ભગાભાઇ પટેલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે મંદિરનાં પૂજારી બળદેવગીરી ગોસાઇ, મહેશગીરી ગોસાઇ, કૈલાશગીરી ગોસાઇ તથા કરશનગીરી ગોસાઇ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાણસ્મા રૂપપુર ગામના સાર્વજનિક ટ્રસ્ટ તારીકે નોંધાયેલ સોમનાથ મહાદેવ મંદિરના વહીવટકર્તા ટ્રસ્ટીઓએ મંદિરની સેવાપૂજા માટે મંદિરની માલિકીની મિલકતો ઉપરોક્ત ચાર વ્યક્તિઓને જે તે સમયે તેમનાં ભરણપોષણ માટે મંદિરનો વાડો, મકાન, ખેતર તથા અન્ય મિલકતનો કબજો આપ્યો હતો. 1952-53માં મંદિરની મિલકતોની નોંધણી થઇ હતી. જેનો ઉપયોગ મંદિરનાં પૂજારી પરિવારનાં લોકો કરતા હતા. મિલકતોનો વહીવટ ગામ લોકો કરતા હતા.આ મિલકતોને આ પૂજારી પરિવારે પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી તથા મંદિરની સામે ગેરકાયદેસર સમાધિ બનાવીને જમીન પર ગેકાયદેસર કબજો કર્યો હોવાનું તથા આ જમીન પર આ લોકોએ આ ખાનગી માલિકીની જગ્યા છે.તેવું બોર્ડ મૂકી એકબીજાના મેળાપણામાં ટ્રસ્ટની મિલકત પોતાનાં નામે ચઢાવી દેવા કિંમતી જામીનગીરીના બનાવટી દસ્તાવેજો બનાવેલા છે.
તે અંગે ઘનિષ્ટ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવા તથા તેવા દસ્તાવેજો કબજે કરવા ફરીયાદમાં રજૂઆત કરી એવો પણ આક્ષેપ કરાયો છે કે, આ બનાવનાં ફરીયાદી બળદેવગીરીને મળીને ટ્રસ્ટની મિલકત વાડા નં. 88-89નો કબજો સોંપી દેવા જણાવતાં ધમકી આપીને રૂ।. 50 લાખ આપો તો પાછો હટીશ તેમ જણાવ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો.