વિજયનગરતાલુકાની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અપાતું સંજીવની દૂધની થેલીઓ મળી મળતાં ચકચાર

સાબરકાંઠા
સાબરકાંઠા

વિજયનગર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સશકત અને ચાતુર્યવાન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી સંજીવની દૂધ યોજનાના દૂધની થેલીઓ શુક્રવારે વિતરકના વિજયનગર બાયપાસ ઉપર આવેલા ગોડાઉન પાછળના જંગલની વાડમાંથી મળતાં લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. દૂધની થેલીઓ કયા કારણોસર વાડમાં નાંખવામાં આવી હશે તે હાલ તપાસની બાબત છે. ત્યારે તાલુકા શિક્ષણાધિકારી ત્રિગુણાબેન પંડ્યાનો સંપર્ક સાધતાં તેમણે મને આ બાબત આપના દ્વારા જાણવા મળી છે અને હું હાલ લોકાચારમાં આવી હોવાનું જણાવી આ બાબતે તપાસ કરું છું એમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.