વડગામતાલુકાના નારાસળ થી માલોસણા ગામ પાસેના ઝાડોના કારણે અકસ્માતની ભીતિ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના નરાસળ થી માલોસણા ગામ ને જોડતો એપ્રોચ રોડ આસપાસ ઘટાદાર વૃક્ષો ના કારણે રોડ ઉપર થી પસાર થતા વાહન ચાલકો અકસ્માત ભીતિ સેવી રહ્યા છે. જ્યારે તંત્ર આ વૃક્ષો ની ડાળીઓ હટાવે તેવી માંગ ઉઠવા પામી છે.વડગામ તાલુકા ના ગ્રામીણ વિસ્તારો ના અનેક માર્ગો ઉપર ઘટાદાર વૃક્ષો ના કારણે વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે તાલુકા ના નરાસળ થી માલોસણા ગામ વચ્ચે આવેલ એપ્રોચ રોડ આસપાસ ઘટાદાર વૃક્ષો સહિત રોડ આસપાસ દબાણો ના કારણે માર્ગ સાંકડો બની જતા રોડ ઉપર થી પસાર થતા વાહનો વચ્ચે અવારનવાર અકસ્માતો સર્જાવા સાથે વાહનચાલકો વચ્ચે ચકમક પણ જોવા મળે છે આ એપ્રોચ ગામના રોડ ની બન્ને સાઈડ ના વૃક્ષો ની ડાળીઓ સહિત દબાણો હટાવવા લોકો માંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.