પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી બેઠકમાં ગેરકાયદે બાંધકામ અને સીલ મારેલા મકાન મામલે ગરમાવો છવાયો
પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જે બેઠકમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કરવાની કામગીરી, તેમજ બાકી રહેલા વિસ્તારોમાં પાણીની નવીન પાઇપલાઇન નાખવાની કામગીરી, નગરપાલિકાની મિલકતના ભોગવટાની નામ ફેર યાદી કરવાની કામગીરી,શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે જમીન ફાળવવાની કામગીરી, નગરપાલિકાની વેરા શાખાની ચતુર વર્ષીય આકારણીની કામગીરી સહિતની બાબતોને લઈને બેઠકમાં વિચાર કરવામાં આવ્યો હતો.પાટણ નગરપાલિકા ખાતે મળેલી કારોબારી બેઠક ની શરૂઆતમાં કારોબારી સમિતિના સભ્ય દ્વારા શહેરના જુના બસ સ્ટેશન રોડ પર શાસ્ત્રીનગરમાં પાલિકાની મંજૂરી વિના બિલ્ડીંગ બાંધકામને લઈ કરાયેલી રજૂઆતના મામલે કારોબારીની બેઠકમાં ગરમાવો છવાયો હતો.તો અન્ય કારોબારી સભ્ય એવા દ્વારા પણ મહાવીર નગર સોસાયટીમાં ગેરકાયદેસર મકાનનું બાંધકામ કરનાર મકાનને પાલિકા દ્વારા સીલ મરાયું હોવા છતાં મકાનમાલિકે નગરપાલિકાનું સીલ તોડી પાલિકા દ્વારા ઉભા કરાયેલા પતરાની આડશો પણ મકાન માલિક દ્વારા વેચી મારી હોવાના આક્ષેપો સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.પાલિકા ખાતે મળેલી કારોબારીની બેઠકમાં ચેરમેન સહિત સમિતિના સભ્યો નગરપાલિકાના અધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.