થરાદ શિવનગર વિસ્તારમાં વીજપોલ પર અચાનક લાગી આગ

બનાસકાંઠા
બનાસકાંઠા

વિધુત બોર્ડ દ્વારા બિપરજોય વાવઝોડા દરમિયાન પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ થરાદના અનેક વિસ્તારોમાં લાઇટને લગતા પ્રશ્નો સામે આવી રહ્યા છે. આજે બપોરે શિવનગરના મેઇન રોડ પરનાં થાંભલામાં ફોલ્ટ થતાં તે થંભલા પર ભયજનક આગ લાગી ગઇ હતી. આ દ્રશ્ય જોઇ લોકોમાં ભય વ્યાપી ગયો હતો. તે દરમિયાન જાગૃત નાગરિકે જીઇબીમાં ફોન કરી આ લાઇન બંધ કરાવવામાં આવી હતી. નશીબજોગ આ ફોલ્ટ દરમિયાન કોઇ નુકશાન થયેલ નથી. થરાદ ગઢવીવાસમાં પણ રાત્રી દરમિયાન કાયમ લાઇટનો કાપ હોય છે. જેના કારણે ત્યાંના રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. ત્યાંના રહીશોએ જીઇબીમાં આ સમસ્યા હલ કરવા લેખિત રજૂઆત પણ કરી છે. તેમ છતાં હજુ કોઇ નિવેડો આવેલ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.