પાટણના જલારામ મંદિર ચોક ખાતે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતાં અફડા તફડી મચી

પાટણ
પાટણ

પાટણ શહેરમાં દિન પ્રતિ દિન રખડતા ઢોરોનો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. ત્યારે ગતરોજ પાટણના જલારામ મંદિર ચોક ખાતે બે આખલા વચ્ચે સિગડા યુદ્ધ જામ્યું હતું. જેથી વિસ્તારમાં અફડા તફડી મચી હતી. બે આખલાઓ જાહેરમાં બાખડતા વાહનચાલકો સહિત લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

આખલાઓએ એક્ટિવા સહિત નાના મોટા ચાર સાધનોને અડફેટે લઈ મોટું નુકસાન પહોંચાડ્યું હતું. જો કોઈ રાહદારી આ આખલાઓની અડફેટે આવી ગયો હોત તો તેનો જીવ જોખમમાં મૂકાય જાઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ વિસ્તારમાં રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે ખૂબ જ વધી જવાના કારણે માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ, વાહન ચાલકો,વિસ્તારના વેવારીઓ અને રહિશો મુશ્કેલી સાથે ભય અનુભવી રહ્યાં છે. પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રખડતાં ઢોરોની સમસ્યા દુર કરવામાં નહીં આવે તો ક્યારેક આવા રખડતાં ઢોર કોઈ નિદોર્ષનો જીવ લઈ શકે તેમ હોવાની પુરેપુરી સંભાવનાઓ સેવાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.