થરાદ પોલીસે ચોટપાના યુવકની હત્યા કરનાર મિત્ર અને મૃતકની પત્નિની અટકાયત કરી
થરાદના ચકચારી યુવકના હત્યાપ્રકરણમાં યુવક શંકરભાઇ અચળાભાઇ પટેલ રહે.ચોટપાના મિત્ર શિવાભાઇ કુંપાભાઇ પટેલ રહે.લવાણા(કળશ)એ પીઠ પાછળ દગો કરીને તેની પત્નિ ભાવના સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો.તેમજ તેણીની સાથે પુર્વ આયોજીત કાવતરૂ રચી તેને ઘેનની ગોળીઓ પાણી સાથે આપી રસ્સા વડે મોતને ઘાટ ઉતારી ભરૂચ જીલ્લાના જંબુસરમાં ફેંકી દિધો હતો. આ અંગે યુવક ગુમ થયાની જાહેરાત નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.બીજી બાજુ ભરૂચ જીલ્લામાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યાનું જાણવા મળતાં બનાસકાંઠા પોલીસે ભરૂચ કંટ્રોલરૂમમાં મેસેજ કરી વડોદરાની એસ.જી.હોસ્પીટલના કોલ્ડરૂમમાં ઓળખ કરતાં તે શિવાભાઇની હોવાનું બહાર આવ્યું હતું. જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ આ અંગે થરાદમાં પ્રેસકોન્ફરન્સમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે ખોડા ઓપીના સ્ટાફની ટીમ બનાવી ટેક્નિકલઅને હ્યુમન સોર્સિંગની મદદથી સમગ્ર હકીકતનો પર્દાફાશ કર્યો હતો.તેમજપતિની હત્યાનું કાવતરૂ રચના પત્નિ ભાવનાબેન અને તેના પ્રેમી શિવાભાઇની અટકાયત કરી બંન્નેને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.