પેન્શન અને ગ્રેચ્યુટી પર મોટી જાહેરાત, ભાજપ સરકારે આ કામદારોને આપી ભેટ

Business
Business

સરકાર દ્વારા લોકોના હિત માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ લોકોને રાહત આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. હવે તાજેતરમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા લોકોના હિત માટે એક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના લાખો લોકોને તેનાથી રાહત મળી છે. હકીકતમાં, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી સરકારી કર્મચારીઓની જેમ જ લાભ મળશે. જેમાં જોબ રેગ્યુલરાઈઝેશન, પેન્શન, સમાન વેતન, ગ્રેચ્યુઈટી, હેલ્થ ઈન્સ્યોરન્સ અને રજા સુવિધાઓનો સમાવેશ થાય છે.

કોન્ટ્રાક્ટ કામદારોના વર્ષોના વિરોધ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં લગભગ 1.5 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી સરકારી કર્મચારીઓ જેવા જ લાભો મળશે અને વાર્ષિક કોન્ટ્રાક્ટ રિન્યુઅલની પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવશે, એમ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તાજેતરમાં જાહેરાત કરી હતી.

ચૌહાણે કોન્ટ્રાક્ટ કામદારોની તરફેણમાં ઘણી ઘોષણાઓ કરી હતી, જેઓ નોકરીઓ નિયમિત કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી વિરોધ કરી રહ્યા છે. સીએમ ચૌહાણે કહ્યું કે, “ભરતીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે પચાસ ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તેમને નિયમિત કર્મચારીઓની સમકક્ષ પગાર મળશે, નિવૃત્તિ દરમિયાન ગ્રેચ્યુઇટી આપવામાં આવશે. તેમને સ્વાસ્થ્ય વીમો મળશે, તેમને પ્રસૂતિ રજા સહિતની તમામ રજા સુવિધાઓ પણ મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને હવે નેશનલ પેન્શન સ્કીમ (NPS)નો લાભ આપવામાં આવશે અને નિયમિત સરકારી કર્મચારીઓની જેમ આરોગ્ય વીમો ઓફર કરવામાં આવશે. આ ઉપરાંત, કર્મચારીના મૃત્યુના કિસ્સામાં, કોન્ટ્રાક્ટ કર્મચારીઓના બાળકો અનુકંપાનાં ધોરણે નોકરી માટે પાત્ર બનશે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ વર્ષથી કોન્ટ્રાક્ટ કામદારો નોકરીઓને નિયમિત કરવા અને રાજ્ય સરકારના કર્મચારીઓને સમાન લાભ આપવાની માંગ કરી રહ્યા હતા. ભોપાલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના સંમેલનમાં બોલતા, સીએમ ચૌહાણે પેન્શન, સ્વાસ્થ્ય વીમો અને ગ્રેચ્યુટી લાભો સહિત અનેક જાહેરાતો કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.