ઉત્તર ગુજરાત યુનિ દ્વારા સમય મર્યાદા પૂર્ણ થઈ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રારંભ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કરી સ્નાતક –અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ રીપીટર વિદ્યાર્થીઓની સ્નાતક સેમ.1 તેમજ અનુસ્નાતક સેમ.1 અને 3ની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.પાટણ યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્યની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવા વર્ષ ન બગડે તે હેતુથી યુનિવર્સિટી દ્વારા એક તક આપવામાં આવી છે જેમાં આવા વિધાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજે સ્નાતક સેમ.1 અને અનુસ્નાતક સેમ.1 અને 3ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. યુનિવર્સિટી સંલગ્ન 10 કોલેજોના પરીક્ષા કેન્દ્રો પર રીપીટર અને સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેવા 419 થી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થવા પામ્યું છે. યુનિવર્સિટીના દરેક પરીક્ષા કેન્દ્રો પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. પાટણની પી.કે.કોટાવાલા કોલેજના પરીક્ષા કેન્દ્ર ખાતે વિવિધ બ્લોકમાં સમયમર્યાદા પૂર્ણ થઇ ગયા હોય તેવા સ્નાતક સેમ.1 અને અનુસ્નાતક સેમ.1 અને 3નાં રીપીટર વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કોઇ ગેરરીત ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા આર્ટસ કોલેજના પરીક્ષા કેન્દ્ર ખાતે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.