![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/26-3.jpg)
સંતાલપુર અને રાધનપુરના શાળાઓમાં દાતાઓ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ
રાધનપુર નિવાસી હાલ મુંબઈ રહેતા સ્વ. પદ માં બેન સૂર્યકાંત ભાઈ સીરિયાના સહયોગ થી અને મદારસિંહ ગોહિલ.ગો.ગામડી તથા રાજુભાઈ પંચાલ ના સંકલન થી ભિલોટ નિવાસી શેઠ ગુણવંભાઈ અને મંજુલા બેન ના સહકાર થી સાંતલપુર તાલુકાની 7 શાળા ના બાળકો ને શૈક્ષણિક કીટ નું વિતરણ શાળા માં જઈ રૂબરૂ જઈ કરવા મા આવ્યું હતું.બાલવાટિકા થી ધોરણ 1 થી 8 બાળકો ને વિવિધ શૈક્ષણિક સામગ્રી જેવી કે રબર.પેન્સિલ.માપ પટ્ટી.મીનીયા કલર.સકેચ પેન કલર. નોટબુક .ફૂલ સ્કેલ ચોપડા અને દફતર સાથે ની ધોરણ મુજબ ની જરૂરિયાત મુજબ ની કીટ નું વિતરણ વિવિધ શાળા ઓ માં કરવા માં આવ્યું હતું.રાધનપુર તાલુકાના અને સાંતલપુર તાલકામાં મળી કુલ ચોપડા 10,000 નોટબુક 4000સકેચ પેન કલર.750:મીનીયા કલર 1000,પેન સંચો.1600સ્કુલ બેગ.260આકની ચોપડી 500પેન્સિલ.રબર.માપ પટ્ટી.સંચો કિટ 600 ચીજ વસ્તુ ઑ રાધનપુર તાલુકાનાની 12 થી વધુ શાળા અને સાંતલપુર તાલુકાના 9 બનાસ.ગોખાતર ગામડી. લુણી ચાણા.કમાલપુરાં.રાનીસર અને માધુપુરા પ્રાથમિક શાળાઓ માં કરવા મા આવ્યું હતું
આ કાર્યક્રમ માં એસ.એમ.સી.સભ્યો.વાલીઓ.શાળા ના શિક્ષકો ઉપરાંત બાળકો દરેક શાળા મા હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને અમલીકરણ મદારસિંહ ગોહિલ.રાજુભાઈ પંચાલે કર્યું હતું દાતા ના પ્રતિનિધિ તરીકે શેઠ ગુણવંતભાઈ અને માતૃ મંજુલા બેન હાજર રહી બાળકો અને શિક્ષકો.વાલીઓ મે પ્રોસાહિત કરી શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતું.આ તબક્કે ગત વર્ષ પણ દાતા દ્વારા દરેક બાળક ને સ્વેટર. થેલા.અને વિધવા બહેનોને ગરમ ધાબળા નું વિતરણ કરેલ છે.જે બાબતે મદારસિંહ ગોહિલે દાતા અને દાતા ના પ્રતિનિધિ શેઠ ગુણવંત ભાઈ પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.