પાટણનાં દુધેશ્વર મહાદેવ મંદિરથી બાળા બહુચર મંદિર રોડ પર ગટરનાં પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ

પાટણ
પાટણ

પાટણ શહેરના મોતીસા દરવાજા દુધેશ્વર મહાદેવ મંદિર થી બાળા બહુચર માતાના મંદિર અને મંદિર તરફ જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના દૂષિત પાણી ની રેલમ છેલ સજૉઈ છે તો માર્ગો પર દિવસ દરમિયાન રેલાતા ભૂગર્ભના દૂષિત પાણીના કારણે માગૅ નું ધોવાણ પણ થયું હોય અકસ્માત ની સંભાવનાઓ પણ પ્રબળ બનવા પામી છે. રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટર ની લાઈન અધુરી હોવાના કારણે અને ભૂગર્ભ ગટર ના પાણી નિકાલ માટે ની લાઈન પણ ચોક અપ બનવાના કારણે ગટર ના ગંદા પાણી રોડ પર રેલાય છે.જેના કારણે રાહદારીઓ,વાહન ચાલકોઅને દર્શનાર્થીઓ સહિત વિસ્તારના રહિશોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. તો રાત્રિના સુમારે આ માર્ગ પરથી પસાર થતા અનેક વાહન ચાલકો માગૅ પરના મસ મોટા ખાડા મા પટકાઇ રહ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટરો તેમજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગનું પેવર કામ હાથ ધરાય અને ભૂગર્ભ ગટર ના રેલાતા દૂષિત પાણીની સમસ્યા નું ત્વરિત નિરાકરણ લાવે તેવી માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો સહિત આ વિસ્તારના રહીશોમાં માંગ પ્રબળ બનવા પામી છે. હવે માત્ર ચાર દિવસમાં ઉકેલ નહિ આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને વોર્ડના કોર્પોરેટર ભૂગર્ભ ચેરમેન સહિત શાખાના અધિકારીઓ અને પ્રમુખના ત્યાં વાગતા ઢોલની સાથે એમના ઘેર એમની ઓફિસો ઉપર આં પાણી એમને સપ્રેમ ભેટ આપીને એમનું ભવ્ય સ્વાગત કરવાનું સ્થાનિક લોકો મન બનાવીને બેઠા છીએ .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.