![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/12-5.jpg)
પાટણ જિલ્લાના વઢીયાર વિસ્તારના રૂરિયાતમંદ પરિવારોને ચીજ વસ્તુઓનું વિતરણ
પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં જૈનોના તીર્થ ધામ સમા શંખેશ્વર ખાતે શિક્ષણની સાથે સાથે મહિલાઓને આત્મ નિર્ભર બનાવવાનું સુતત્ય કાર્ય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જીજ્ઞાબેન શેઠ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જરૂરિયાત મંદોને મદદરૂપ બની રહ્યા છે. તાજેતરમાં તેમની સમગ્ર ટીમ દ્વારા શ્રી જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટનાં નેજા હેઠળ શંખેશ્વરથી 24 કિલોમીટર દુર વનવગડાની વચ્ચે રહેતા જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે કપડા, વાસણ તથા ચંપલ, રાશન કીટ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું.