![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/19-6.jpg)
પાટણમાં વાતાવરણમાં પલટો ઉકળાટ બાદ વરસાદી ઝાપટું
અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર વેસ્ટર્ન ડીસ્ટબન્સ પૂર્ણ થયા બાદ નૈઋત્યનું ચોમાસુ શરુ થયું છે. તાજેતરમાં દિલ્હી અને મુંબઇ જેવા મેઘા શહેરોને ઘમરોળ્યા બાદ નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે પાટણ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રવિવારની સાંજથી હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં એકાએક પલ્ટો આવી ગયો છે.
આજરોજ સવારે આકાશમાં વરસાદી વાદળો ઘેરાઇ આવ્યા હતા અને આજે સામાન્ય વરસાદી ઝાપટુ વરસતા શહેરના માર્ગો ભીંજાઇ ગયા હતા. આમ પાટણ પંથકમાં ચોમાસાનું વીધીવત રીતે આગમન થયું હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે.