![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/16-7.jpg)
પાટણમાંવીજ કર્મીઓનો વિરોધ પ્રદર્શન
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના જણાવ્યાં મુજબ સમાધાનની જવાબદારી જીયુવીએનએલ મેનેજમેન્ટને સોંપાઇ છે. મિટીંગમાં નિરાકરણ નહીં આવે તો સર્કલન સમિતિ દ્વારા 27 જૂનના રોજ માસ સિએલ અને 28 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.
લાંબાગાળાના ન્યાયિક પડતર પ્રશ્નોના નિરાકરણ અને સમાધાન અંગે જેટકો મેનેજમેન્ટ નિષ્ફળ નિવડ્યું હોય જેથી પાટણ જિલ્લાના 40 જેટલા વીજ કર્મચારીઓ જેટકો મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ મિટીંગમાં નિરાકરણ નહીં આવે તો સર્કલન સમિતિ દ્વારા 27 જૂનના રોજ માસ સિએલ અને 28 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.