ગુજરાતીઓએ વિઝા લેવા મુંબઈ નહીં જવું પડે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે અને ભારત માટે તેમનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. એવામાં હાલ ગુજરાત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

કેટલા લાંબા સમયથી ભારતે અમેરિકા પાસે એક માંગનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે, ભારતની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માંગણીને અમેરિકાએ સ્વીકારી છે. અમેરિકા જવા માગતા ગુજરાતીઓએ હવે વિઝા લેવા માટે મુંબઈ જવું પડશે નહીં. ટૂંક સમયમાં અમદાવાદમાં જ અમેરિકાનું વાણિજ્ય દુતાવાસ શરુ થવા માટેની અમેરિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત બેંગલોરમાં પણ અમેરિકાનું દુતાવાસ શરૂ કરવા મંજૂરી અપાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ બાયડેન અને જીલ બાયડેન વોશિંગ્ટન ડીસીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદીના ભવ્ય સ્વાગતમાં ભવ્ય સ્ટેટ ડિનર પીરસવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.