બ્રાઝિલમા ચક્રવાતે તબાહી મચાવી દીધી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બ્રાઝિલમાં ચક્રવાતના કારણે ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યુ છે.જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે જે વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે ત્યાં હવાઈ સર્વે કરવામાં આવી રહ્યો છે.આ સાથે ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.જેમા 8,000થી વધુ લોકોની વસ્તી ધરાવતું કારા નગર ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત થયું છે.ત્યારે રિયો ગ્રાન્ડે દો સુલના ગવર્નર એડૂરાડો લેઈટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે કહ્યુ હતું કે કારાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.રિયો ગ્રાન્ડે દો સુલમાં ઘણા રસ્તાઓ હજી પણ અવરોધિત હતા.આ સિવાય રાજ્યના મુખ્ય શહેરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને સમગ્ર રાજ્યમાં વીજળી બંધ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.