ભારતીય સ્ટાર ક્રિકેટર અમ્પાયર પર કરે છે દબાણ, આ દિગ્ગજે કર્યો દાવો

Sports
Sports

ICC એલિટ પેનલમાં સામેલ સ્ટાર ભારતીય અમ્પાયર નિતિન મેનને એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. નિતિને એક ખુલાસો કરતા કહ્યું કે ભારતીય સ્ટાર ક્રિકેટર પોતાના તરફેણમાં નિર્ણય લેવડાવવા માટે અમ્પાયર પર દબાણ કરતા હોય છે.

આવતા મહિને ઈગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી એશિઝ સીરીજની છેલ્લી 3 ટેસ્ટ મેચો નિતિન મેનન એમ્પાયરિંગ કરતા જોવા મળશે. જૂન 2020માં ICC એલિટ પેનલમાં નિતિન મેનનને સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે તેઓ વિદેશ યાત્રા કરી શક્યા નહોતા.

નિતિને એક એજન્સી સાથે વાત કરતાં કહ્યુ હતું કે જ્યારે પણ ભારતની મેચ હોય છે ત્યારે તેમના પર અલગ પ્રકારનું દબાણ હોય છે. નિતિને વધુ વાત કરતાં કહ્યું કે ભારતના મોટા સ્ટાર અમ્પાયર પર દબાણ કરવાની કોશિશ કરતા હોય છે, જેથી કરીને 50-50 નો નિર્ણય તેમના પક્ષમાં આવી શકે. તેમણે કહ્યું કે જ્યારે પણ એવી પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે જો અમ્પાયર તેમના કંન્ટ્રોલમાં રહે તો કોઈ પ્રોબલેમ નથી થતો.

જો કે અહી મહત્વની વાત તો એ છે કે નિતિને તેના નિવેદનમાં કોઈ ભારતીય સ્ટાર ક્રિકેટરનું નામ લીધુ નથી. તેમજ આડકતરી રીતે પણ કોઈના પર ઈશારો કર્યો હોય તેવુ જણાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.