કલોલના વર્ધમાનનગરમાં ભારે પવન ફંકાતા પાણીની ટાંકી ફાટતાં ધાબાનો સ્લેબ તૂટ્યો

ગુજરાત
ગુજરાત

કલોલમાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ છે. વાવાઝોડાને કારણે ઠેરઠેર વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા. શુક્રવારે ભારે પવન ફૂંકાતા વર્ધમાનનગરમાં આવેલ એક મકાનની છત તૂટી પડી હતી. જોકે કોઈ ઈજાગ્રસ્ત ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. મકાનમાલિકે કલોલ નગરપાલિકામાં અરજી લખીને મકાનને થયેલ નુકશાનને પગલે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. કલોલમાં છેલ્લા અઠવાડિયાથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે શહેરમાં ઠેરઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થયા હતા.


વાવાઝોડાને પગલે કલોલમાં વર્ધમાનનગર વિસ્તારમાં આવેલ એક મકાનને નુકશાન થયું હતું. બે માળ ધરાવતા મકાનમાં ઉપરના માળે ત્રણ રૂમ આવેલ છે. વાવાઝોડાને ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. શુક્રવારે સાંજે તેજ પવનને કારણે ઉપર રહેલી પાણીની ટાંકી ફાટી ગઈ હતી. આ ટાંકી ફાટી જતા નીચે રહેલ છત ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકીનું પાણી ઘરમાં ઘૂસી જતા નુકશાન થયું હતું.


જોકે આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. મકાનમાં નુકશાનને પગલે મકાનમાલિક દ્વારા કલોલ નગરપાલિકામાં અરજી કરવામાં આવી છે.  ઉપરના માળે રહેલા ત્રણ રૂમ પૈકી એક રૂમ અને રસોડામાં નુકશાન થતા સ્થળ પર યોગ્ય તપાસ હાથ ધરી ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.