રાજયના નાના ઉદ્યોગોને ૩૫ લાખ સુધી સબસીડી મળશે

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : ગુજરાત સરકારે આજે નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી છે. ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. તેમજ નાના ઉદ્યોગોને ૩૫ લાખ સુધીની સબબિડી અપાશે, એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના શાસનને આજે ૪ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરતા જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી નવી પોલિસીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોના સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ઉદ્યોગ નીતિની જાહેર કરતી વખતે રૂપાણીએ જણાવ્યું હતું કે આર્ત્મનિભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા નવી ઔદ્યોગિક નીતિ પણ મદદરૂપ થશે, એમ તેમણે ઉમેર્યું હતું. તેઓએ સાથે એ પણ જણાવ્યું હતું કે, કોરોના કાબૂમાં આવ્યા બાદ વાઈબ્રન્ટ સમિટ અંગે ર્નિણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઔદ્યોગિક નીતિ પૂર્ણ થઈ હતી. જેને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.